આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં માન્ય બોર્ડમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 80PR (MBBS કોર્ષ સિવાય) કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 6,00,000/- થી ઓછી હોય અને સરકારી માન્ય SFI કોલેજોમાં પ્રવેશ મળેલ હોય તેઓને સરકારશ્રી દ્વારા નીચે મુજબની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
વિદ્યાર્થીએ સત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવી હોય છે જ્યારે સરકારશ્રી દ્વારા આરઝી તારીખ જાહેર કરવામાં આવે
ત્યારે વિદ્યાર્થીએ રુબરુ માં MYSY હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે. ત્યાર બાદ આશરે એક મહિનાની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જ સ્કોલરશીપની રકમ જમા થાય છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના (CMSS, https://scholarships.gujarat.gov.in)
આ યોજના અંતર્ગત નીચેની કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 4,50,000/- કરતા ઓછી હોય અને સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર હોય તેમને આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર છે.
(1) રાજ્યમાં 50% થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ-12ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓ
(2) ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોથી ફરજ દરમિયાન શહીદ થયા અથવા કાર્યક્ષમ વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય/રાજ્યના અર્ધલશ્કરી દળોના અને અનામત પોલીસ દળોના, ગુજરાત પોલીસ દળના શહિદ જવાનોના સંતાનો
(3) શ્રમિકકાર્ડ ધરાવતા શ્રમિક પરિવારના સંતાનો
(4) 40% થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા વાલીઓના સંતાનો
(5) વિધવા મહિલાના સંતાનો
(6) અનાથ વિદ્યાર્થીઓ જેમના માતા-પિતા બંને મરણ પામ્યા હોય
(7) તલાકશુદા/રક્ષિતા મહિલાના સંતાનો
મેડિકલ અભ્યાસક્રમ માટે 250, પેરામેડિકલ અને સાયન્સ (PCB) કોલેજોના અભ્યાસક્રમ માટે 100 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
CMSSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY ઉપરાંત CMSSનો પણ લાભ મેળવી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા SEBC/NT/DNT જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે. Digital Gujarat Portal (https://digitalgujarat.gov.in) મારફતે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના માટે જે કેટેગરી લાગુ પડે છે તેની માહિતી વિદ્યાર્થીએ કોલેજમાંથી મેળવી નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અંદાજિત Rs. 50,000/- જેટલી સહાય મળવાપાત્ર છે.