શિષ્યવૃત્તિઓ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY, https://mysy.guj.nic.in)

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં માન્ય બોર્ડમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 80PR (MBBS કોર્ષ સિવાય) કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 6,00,000/- થી ઓછી હોય અને સરકારી માન્ય SFI કોલેજોમાં પ્રવેશ મળેલ હોય તેઓને સરકારશ્રી દ્વારા નીચે મુજબની સ્કોલરશીપ મળવાપાત્ર છે.

  1. MBBS અને BDS: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા Rs. 2,00,000/-  પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
  2. આયુર્વેદિક, હોમિયોપેથીક, ફિઝિયોથેરાપી, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીક, ઓડિયોલોજી, ઓક્યુપેશનલ થેરાપી, ફાર્મસી, વેટરનરી સાઈન્સ અને B.Sc. નર્સિંગ : વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા Rs. 50,000/- -પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
  3. B.Sc.: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા Rs. 10,000/-  પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
જો વિદ્યાર્થી ફેલ થશે અથવા 50% કરતા ઓછા માર્કસ લાવશે તો તે સેમેસ્ટરરમાં MYSY નો લાભ નહીં મળે.

વિદ્યાર્થીએ સત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવી હોય છે જ્યારે સરકારશ્રી દ્વારા આરઝી તારીખ જાહેર કરવામાં આવે
ત્યારે વિદ્યાર્થીએ રુબરુ માં MYSY હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે. ત્યાર બાદ આશરે એક મહિનાની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જ સ્કોલરશીપની રકમ જમા થાય છે.

માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના (માત્ર MBBS માટે)

  • રાજ્યમાં કન્યા કેળવણીને વિશેષ મહત્વ આપી કન્યાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેલવાણી નિધિ યોજના હેઠળ મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓને 50% ટ્યુશન ફી સહાય પેટે Rs. 2,00,000/-ની મર્યાદામાં MYSY યોજનાનો હકદાર અને બાકી ની 50% ટ્યુશન ફી ની સહાય (મહત્તમ Rs. 4,00,000/-) માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેલવાણી નિધિ હેઠળ આપવામાં આવે છે. આમ કુલ મહત્તમ Rs. 6,00,000/-ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે MYSYની એકજ અરજિ કરવાની હોય છે.

SC/ST (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) કેટેગરીના

  • તમામ વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 2,50,000/- થી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા ટ્યુશન ફી ની 100% રકમની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે.
  • માત્ર ગરીબ માટે: જો કુટુંબની કુલ આવક Rs. 2,50,000/- થી Rs. 6,00,000/- સુધીની હોય તો ટ્યુશન ફી + નિભાવ ખર્ચ અને જો આવક Rs. 6,00,000/- કરતા વધુ હોય તો માત્ર નિભાવ ખર્ચ મળવાનો છે. જો વિદ્યાર્થીએ એડમિશન મળ્યા બાદ
  • Freeship Card કરાવ્યો હશે તો કોલેજ ખાતે કોઈ જ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. જો કોલેજ ખાતે ટ્યુશન ફી ભરેલ હોય તો બાદમાં સરકારશ્રી દ્વારા સ્કોલરશીપની રકમ કોલેજને મળ્યા પછી વિદ્યાર્થીએ ભરેલ ટ્યુશન ફી પરત કરવામાં આવે છે.

NT/DNT (વિર્યતી અને વિમુક્ત)

  • જાતિઓના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 2,00,000/- થી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા Rs. 50,000/- ની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે. પ્રવેશ મળ્યા બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના (CMSS, https://scholarships.gujarat.gov.in)

આ યોજના અંતર્ગત નીચેની કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 4,50,000/- કરતા ઓછી હોય અને સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર હોય તેમને આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર છે.

(1) રાજ્યમાં 50% થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ-12ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓ
(2) ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોથી ફરજ દરમિયાન શહીદ થયા અથવા કાર્યક્ષમ વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય/રાજ્યના અર્ધલશ્કરી દળોના અને અનામત પોલીસ દળોના, ગુજરાત પોલીસ દળના શહિદ જવાનોના સંતાનો
(3) શ્રમિકકાર્ડ ધરાવતા શ્રમિક પરિવારના સંતાનો
(4) 40% થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા વાલીઓના સંતાનો
(5) વિધવા મહિલાના સંતાનો
(6) અનાથ વિદ્યાર્થીઓ જેમના માતા-પિતા બંને મરણ પામ્યા હોય
(7) તલાકશુદા/રક્ષિતા મહિલાના સંતાનો

મેડિકલ અભ્યાસક્રમ માટે 250, પેરામેડિકલ અને સાયન્સ (PCB) કોલેજોના અભ્યાસક્રમ માટે 100 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.

  1. MBBS: વાર્ષિક ટ્યુશન ફી ની રકમનો 50% અથવા Rs. 5,00,000/- પૈકી જે ઓછી હોય તે મળવાપાત્ર છે.
  2. BDS, BAMS, BHMS અને પેરામેડિકલ: વાર્ષિક ટ્યુશન ફી ની રકમનો 50% અથવા Rs. 1,00,000/- પૈકી જે ઓછી હોય તે મળવાપાત્ર છે.
  3. B.Sc.: વાર્ષિક ટ્યુશન ફી ની રકમનો 50% અથવા Rs. 10,000/- પૈકી જે ઓછી હોય તે મળવાપાત્ર છે.

CMSSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY ઉપરાંત CMSSનો પણ લાભ મેળવી શકે છે.

પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ :

ગુજરાત સરકાર દ્વારા SEBC/NT/DNT જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે. Digital Gujarat Portal (https://digitalgujarat.gov.in) મારફતે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના માટે જે કેટેગરી લાગુ પડે છે તેની માહિતી વિદ્યાર્થીએ કોલેજમાંથી મેળવી નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અંદાજિત Rs. 50,000/- જેટલી સહાય મળવાપાત્ર છે.