શિષ્યવૃત્તિઓ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
(https://mysy.guj.nic.in)
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 80% અથવા વધુ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹6,00,000/- થી ઓછી હોય અને સરકાર માન્ય SFI કોલેજોમાં પ્રવેશ મેળવેલ હોય, તેઓ માટે નીચે મુજબની સ્કોલરશીપ આપવામાં આવે છે:
  1. MBBS અને BDS: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા ₹2,00,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
  2. આયુર્વેદ, હોમીયોપેથી, ફીઝીયોથેરાપી, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીક્સ, ઓડીયોલોજી, ઓક્યુપેશનલ થેરાપી, ફાર્મસી, વેટરનરી સાયન્સ અને B.Sc. નર્સિંગ: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા ₹50,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
  3. B.Sc.: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા ₹10,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
જો વિદ્યાર્થી ફેઇલ થશે અથવા 50% કરતા ઓછા માર્કસ આવશે તો તે સેમેસ્ટરમાં MYSY નો લાભ નહીં મળે. વિદ્યાર્થીએ સત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવાની હોય છે. જ્યારે સરકારશ્રી દ્વારા અરજીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ MYSY હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ આશરે એક માસની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જ સ્કોલરશીપની રકમ જમા થાય છે.

માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના
(માત્ર કન્યાઓ માટે)
રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના હેઠળ મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને 50% ટ્યુશન ફી સહાય પેટે ₹2,00,000/-ની મર્યાદામાં MYSY યોજના હેઠળ અને બાકીની 50% ટ્યુશન ફીની સહાય (મહત્તમ ₹4,00,000/-) આ યોજનાના અંતર્ગત આપવામાં આવે છે. આમ કુલ મહત્તમ ₹6,00,000/-ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે MYSY હેઠળ એક જ અરજી કરવાની રહે છે.

SC/ST (અનુસૂચિત જાતિ અને જનજાતિ) શિષ્યવૃત્તિ
SC/ST કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹2,50,000/- થી ઓછી હોય, તેઓ માટે ટ્યુશન ફીનો 100% રકમ સહાય તરીકે આપવામાં આવે છે.
માત્ર છાત્રાઓ માટે:
  • કુટુંબની આવક ₹2,50,000/- થી ₹6,00,000/- સુધી હોય તો: ટ્યુશન ફી + નિભાવ ખર્ચની સહાય આપવામાં આવે છે.
  • કુટુંબની આવક ₹6,00,000/- કરતા વધુ હોય તો: માત્ર નિભાવ ખર્ચ આપવામાં આવે છે.
Freeship Card: જો વિદ્યાર્થીએ એડમિશન પછી Freeship Card કઢાવેલ હોય, તો કોલેજ ખાતે કોઇ જ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. જો કોલેજમાં ટ્યુશન ફી ભરેલ હોય, તો સરકારશ્રી દ્વારા સ્કોલરશીપની રકમ મળ્યા બાદ વિદ્યાર્થીએ ભરેલ ફી પરત કરવામાં આવે છે.

NT/DNT (વિચરતી અને વિમુક્ત) શિષ્યવૃત્તિ
NT/DNT જાતિઓના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹2,00,000/- થી ઓછી હોય, તેઓ માટે ₹50,000/-ની શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવે છે.
વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહે છે.

માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના
(https://scholarships.gujarat.gov.in)
આ યોજના હેઠળ નીચેની કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹4,50,000/- થી ઓછી હોય, તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે:
  1. 50% થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ-12 પાસ કરેલ કન્યાઓ
  2. યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ દરમિયાન શહીદ થયેલા સેનાના જવાનોના સંતાનો
  3. શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના સંતાનો
  4. 40% થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ
  5. વિધવા મહિલાના સંતાનો
  6. અનાથ વિદ્યાર્થીઓ
  7. ડિવોર્સી/ ત્યક્તા મહિલાના સંતાનો
મેડિકલ અભ્યાસક્રમો માટે: ₹5,00,000/- સુધીની સહાય BAMS, BHMS, પેરામેડીકલ: ₹1,00,000/- સુધીની સહાય B.Sc.: ₹10,000/- સુધીની સહાય
MYSY ઉપરાંત CMSS સહાય પણ મળી શકે છે.

પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ (SEBC/NT/DNT)
ગુજરાત સરકાર દ્વારા SEBC/NT/DNT જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે.
અરજી કરવાની રીત: વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal (https://digitalgujarat.gov.in) મારફતે ઓનલાઇન અરજી કરવાની હોય છે.
સહાય રકમ: અંદાજીત ₹50,000/- સુધીની સહાય આપવામાં આવે છે.
વિદ્યાર્થીએ તેની કેટેગરી અનુસાર કોલેજમાંથી માહિતી મેળવી અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.